- :~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
- :~> મારુ જીવન એજ મારો સંદેશ છે.
- :~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
- :~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
- :~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
- :~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
- :~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
- :~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
- :~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
- :~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
- :~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
- :~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
- :~> બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
- :~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
- :~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
- :~> હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
- :~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
- :~> તમે ન બોલો તમારા કામને બોલવા દો.
- :~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
- :~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
- :~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
- :~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
- :~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
- :~> દરેક બાળક એક કલાકાર છે.
- :~> વિચાર કરતાં જ્ઞાન સારુ.
- :~> બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
- :~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
- :~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
- :~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
- :~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
- :~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
- :~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
- :~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
- :~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
- :~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
- :~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
- :~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
- :~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
- :~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
- :~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
- :~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
- :~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
- :~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
- :~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
- :~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
- :~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
- :~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
- :~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
- :~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
- :~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
- :~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
- :~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
- :~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
- :~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
- :~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
- :~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
- :~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
- :~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
- :~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
- :~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
- :~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
- :~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
- :~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
- :~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
- :~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
- :~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
- :~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
- :~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
- :~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
- :~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
- :~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
- :~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
- :~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
- :~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
- :~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
- :~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
- :~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
- :~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
- :~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
- :~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
- :~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
- :~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
- :~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
- :~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
- :~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
- :~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
- :~> આજના વિચારો આવતી કાલે બોલો.
- :~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
- :~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
- :~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
- :~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
- :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
- :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
- :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
- :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
- :~> બાળકો પ્રભુના પયગંબરો છે.
- :~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
- :~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
- :~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
- :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
- :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
- :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
- :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
- :~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
- :~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
- :~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
- :~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
- :~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
- :~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
પૃષ્ઠો
નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !
સુવિચાર
મંગળવાર, 10 જુલાઈ, 2012
"સુવાક્યો"
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો