નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

મંગળવાર, 10 જુલાઈ, 2012

"સુવાક્યો"


  1. :~> મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે             કેળવણી.
  2. :~> મારુ જીવન એજ મારો સંદેશ છે.
  3. :~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
  4. :~> શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
  5. :~> વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
  6. :~> કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
  7. :~> નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
  8. :~> શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
  9. :~> શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
  10. :~> શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
  11. :~> કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
  12. :~> શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
  13. :~> બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
  14. :~> બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
  15. :~> સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
  16. :~> હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
  17. :~> શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
  18. :~> તમે ન બોલો તમારા કામને બોલવા દો.
  19. :~> જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
  20. :~> ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
  21. :~> પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
  22. :~> બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
  23. :~> બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
  24. :~> દરેક બાળક એક કલાકાર છે.
  25. :~> વિચાર કરતાં જ્ઞાન સારુ.
  26. :~> બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
  27. :~> વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
  28. :~> તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
  29. :~> તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
  30. :~> જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
  31. :~> મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
  32. :~> જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
  33. :~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
  34. :~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
  35. :~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
  36. :~> સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
  37. :~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
  38. :~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
  39. :~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
  40. :~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
  41. :~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
  42. :~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
  43. :~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
  44. :~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
  45. :~> સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
  46. :~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
  47. :~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
  48. :~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
  49. :~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
  50. :~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
  51. :~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
  52. :~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
  53. :~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
  54. :~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
  55. :~> ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
  56. :~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
  57. :~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
  58. :~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
  59. :~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
  60. :~> વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
  61. :~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
  62. :~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
  63. :~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
  64. :~> જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
  65. :~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
  66. :~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
  67. :~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
  68. :~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
  69. :~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
  70. :~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
  71. :~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
  72. :~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
  73. :~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
  74. :~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
  75. :~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
  76. :~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
  77. :~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
  78. :~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
  79. :~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
  80. :~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
  81. :~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
  82. :~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
  83. :~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
  84. :~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
  85. :~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
  86. :~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
  87. :~> આજના વિચારો આવતી કાલે બોલો.
  88. :~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
  89. :~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
  90. :~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
  91. :~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
  92. :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
  93. :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
  94. :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
  95. :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
  96. :~> બાળકો પ્રભુના પયગંબરો છે.
  97. :~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
  98. :~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
  99. :~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
  100. :~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
  101.  :~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
  102. :~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
  103. :~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
  104. :~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
  105. :~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
  106. :~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
  107. :~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
  108. :~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
  109. :~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો