નમસ્કાર, આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે આ બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો આ ઇમેઇલ:KALPESH.MODASA@YMAIL.COMપર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

સુવિચાર

સુવિચાર :- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013

કિશોરી મેળો - ૨૦૧૩

મટકીફોડ ચોકલેટ  ખાતા બાળકો 

ચોકલેટ  લેવા પડાપડી  કરતા વિદ્યાથી ...
દોરડા કૂદતી શાળાની બાલિકાઓ ..

કબડ્ડી રમતી કિશોરીઓ 

કોથળા દોડ રમત રમતી  બાલિકાઓ ....

ખો-ખો  રમતી  શાળાની  ધોરણ-૬ થી ૮ ની બાલિકાઓ ...

" ઈડરિયો ગઢ, સાબરકાંઠા "

ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર , રાખવામાં આવ્યું.ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનુંનામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. પ૦૦ ફુટ ઉંચાઇની ખડકાળ ટેકરીવાળા ઇડરગઢની તળેટીમાં ઇડર અતિ રમણીય રીતે વસેલું છે. ડુંગર ઉપર આવેલા કિલ્લાની મજબુતાઇ કહેવતરુપ બની ગઇ છે. ઇડરીઓ ગઢ જીતવો એ અશકય વસ્તુ પ્રાપ્ત કરવા બરોબર છે. ચીની મુસાફર હયુ-એન-સંગે (ઇ.સ. ૬૪૦ ) તેની નોંધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે. જેને ચીની ભાષામાં ઓ.ચા.લી. કહે છે. પરિહર રજપુતોએ ઇડરની ફરી સ્થાપના કરી હોવાનું મનાય છે. આ રજપૂતોએ ચિતોડને તાબે રહીને કેટલીક પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. ૧ર મા સૈકાના અંતમાં ઇડરના રાજા...એ
દિલ્લીના રાજા પૃથ્વીરાજ સાથે હિંન્દુસ્તાનના મુસ્લિમ આક્રમણકારો સામે ભાગ લીધો અને સન ૧૧૯૩ ની થાનેસરની લડાઇમાં હિંદુઓની મોટી હાર થઇ અને તેમાં તે મરાયો. ત્યાર બાદ ઇડર હાથી સોર્ડ કોળીના હાથમાં ગયું અને તેના પછી તેનો પુત્ર શામળીઓ ગાદી પર આવ્યો.રાઠોડ રાજવી સોનંગજીએ શામળીયાને મારી નાખ્યો અને ઇડરનો કબજો મેળવ્યો અને રાવ વંશની સ્થાપના કરી, જેમણે ધણી પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. વિલીન થયેલા રાજયો પૈકી વિજયનગર એ બીજું અગત્યનું રાજય હતું. ત્યાં મોટે ભાગે
પછાત કોમની વસતિ છે. તેનો વિસ્તાર જંગલોનો અને ટેકરીઓથી ધેરાયેલો છે. વિજયનગરથી ૮ માઇલ દૂર અભાપુર પાસે શિવ, મહાવીર,સૂર્ય વગેરેના જૂના મંદિરોના છૂટા છવાયા અવશેષો મળી આવ્યા છે. ઇ.સ. ૧૧૦૦ માં બંધાયેલા શરણેશ્વર મહાદેવના મંદિરનો અલ્લાઉદ્‍ીન ખીલજીના ભાઇ અલફખાને પાટણની ચડાઇ વખતે નાશ કર્યો. આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ કરેલું છે. પુરાતત્વ વિધાખાતા તરફથી તેના સંરક્ષણ માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. ભૂતપૂર્વ પશ્વિમ ભારતની દેશી રાજયોની એજન્સીના સાદરા વિભાગના આંબલીયારા,મોહનપુર, માલપુર, બાયડ અને બીજા રાજયોને આ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યાં છે. આમ હાલના સાબરકાંઠા જિલ્લામાં વિલીનીકરણ અને એકત્રીકરણ થયેલા ર૯ રાજયોનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ અમદાવાદ જિલ્લાના પ્રાંતિજ તાલુકા અને મોડાસા તાલુકાને પણ આ જિલ્લામાં સમાવી લેવામાં આવ્યાં છે. 
નવેમ્બર-૧૯પ૬ માં રાજયનું પુનઃસંચાલન થતાં મુંબઇ રાજયના મોટાભાગનું વિભાજન વિદર્ભ,મરાઠાવાડા,સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયું હતું. ઘ્વિભાષી રાજયનું વિભાજન થતાં સાબરકાંઠા જિલ્લો અમદાવાદ જિલ્લાની જેમ અસ્તિત્વમાં આવ્યો. છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઇ રાજયનું વિભાજન થતાં ગુજરાત તથા મહારાષ્ટ્ર અલગ અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યા. આ તારીખથી સાબરકાંઠા જિલ્લો રાજયના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો.ઈડરની પુનઃ સ્થાપના પરિહાર રાજપુતોએ કરી હોવાનું કહેવાય છે. જેમણે પિતોડને આધિન રહીને કેટલીક પેઢીઓ સુધી રાજ કર્યુ ૧રમી સદીના અંતે ઈડરના રાજાઓ ભારતના મુસલીમ આકૂમણમાં ભાગ લીધો અને ઈ.સ.૧૯૯૩ મા મરાયા એ
પછી ઈડર હાથીયોલ નામાના કોળીઓના હાથમા પડયું જેના પછી એનો પુત્ર સોમાલીયા ગાદી એ આવ્યો આ સોમાલીયાએ રાઠોડ કુવર સોમસંગજીને મારી નાંખ્યો આ વંશે કેટલીક પેઢીઓ સુધી રાજ કયું ઈડરના બેનમુન ગઢનો આજે પણ લોકો વાતવતમા ઉલ્લેખ કરે છે. પુર્વ ઈડર સ્ટેટની આ રાજધાની હતી. ઈલ્વદુગ તરીકે ઓળખાતો હતો. અહીના પત્થરો રપ૦૦ વર્ષ પુરાણો હોવાનું લોકવાયકા છે. ફલોરાઈડના કારણે ગઢ ઉપરના પથ્થરો કાળમીઢ જેવા અને ગ્રેનાઈટ જેવા છે. ગઢ ઉપર આવેલુ ભોળનાથ મંદિર પ૦૦ વર્ષ પુરાણું હોવાનું મનાય છે.

પ્રજ્ઞાગીત


 બનીએ પ્રજ્ઞાવાન 
આપણે બનીએ પ્રજ્ઞાવાન
              પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
               વિકસતું રહે જ્ઞાન .....(2)
              આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
               સૌ સંગાથે વધીએ આગળ
               એ જ ખરું અનુષ્ઠાન ....(2)
               આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
              જેની પાસે શિક્ષણ સાચું
               એ જ ખરાં ધનવાન ...(2)
               આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
      દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
      એ જ ખરાં બળવાન ...(2)
      આપણે બનીએ પ્રજ્ઞાવાન

ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2013



" માંડ માંડ ભણીએ ડીમાંડ


હજુ ન થયા એપ્લાય,


એટલે શરૂ થયો સપ્લાય...! " 

શુક્રવાર, 15 ફેબ્રુઆરી, 2013

બાળગીત


(૧)
કૂ કૂ બોલે કોયલડી, મીઠું બોલે મોરલિયો (૨)
હે.....મને વ્હાલી લાગે (૩) મારી નિશાળ હા....હા....હા....
ઓ ગુરૂજી..... ઓ ગુરુજી...... કૂ કૂ બોલે કોયલડી
વાંચવું મને ખુબ ગમે, લખવું મને ખુબ ગમે (૨)
હે.....મને વ્હાલી લાગે (૩) મારી નિશાળ હા....હા....હા....
ઓ ગુરૂજી..... ઓ ગુરુજી...... કૂ કૂ બોલે કોયલડી
ગાવું મને ખુબ ગમે, રમવું મને ખુબ ગમે (૨)
હે.....મને વ્હાલી લાગે (૩) મારી નિશાળ હા....હા....હા....
ઓ ગુરૂજી..... ઓ ગુરુજી...... કૂ કૂ બોલે કોયલડી
લડવું મને ગમતું નથી, રડવું મને ગમતું નથી (૨)
હે.....મને વ્હાલી લાગે (૩) મારી નિશાળ હા....હા....હા....
ઓ ગુરૂજી..... ઓ ગુરુજી...... કૂ કૂ બોલે કોયલડી

તમારા બ્લોગમાં ડ્રોપ-ડાઉન મેનુ કેવી રીતે બનાવશો ?